સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨માં ભાગ
લેવા બાબત
સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં
જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ચાલુ વર્ષે ૧૦ (દસ) દિવસ માટે
સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં
આવનાર છે.
આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા
યુવક-યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે નિયત
નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ
અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, “
જિલ્લા સેવા સદન”, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે મોકલી
આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા
ધરાવતા કુલ-૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે.
માત્ર પસંદગી પામેલ યુવક-યુવતિઓને ફોન/પત્ર દ્વ્રારા જાણ
કરવામાં આવશે.
Comments
Post a Comment